Thursday, January 7, 2010

danik bhaskarસ્ત્રી લગ્ન શા માટે કરે છે?

Prashasti Mehta

સાસુનો વિરોધ કરવાની એમનામાં હિંમત નથી. ‘સહન કરજે’ એવી શીખ મા-બાપે એમને સાસરે વળાવતી વખતે આપી હતી, તેનું ચુસ્તપણે પાલન કરે છે અને કડવા ઘૂંટડા ગળી જાય છે. આવું દરેક રજામાં બને તેથી કૃતિકા દુ:ખી થયા કરે છે. મને કેમ આવી સંકુચિત મનની સાસુ મળી? હું વરની સાથે બહાર ફરવા ન જઇ શકું તેમાં એને મજા આવે છે. દીકરો-વહુ જિંદગી માણે એ એને મંજૂર નથી. અભિનવની મમ્મી વર્ષોથી અમેરિકામાં વસી છે, પણ એને કેમ ખ્યાલ નથી આવતો કે દીકરા-વહુની સ્વતંત્ર જિંદગી હોય, એમાં દખલ ન કરાય.



marriage lifeકૃતિકા અભિનવને પરણીને અમેરિકા આવી. અભિનવ સારું કમાય છે. કૃતિકા પણ એમ.ફાર્મ. છે અને અમેરિકા આવીને એક-બે જરૂરી કોર્સ કર્યા છે. તેથી એ પણ અભિનવ જેટલું જ કમાય છે. ફર્મમાં એ પણ ઊંચી જવાબદારીભરી પોસ્ટ પર છે.



બંનેએ અદ્યતન સગવડવાળું ઘર બનાવડાવ્યું છે. માન અને પ્રતિષ્ઠાથી ભરી ભરી વૈભવી એમની જિંદગી છે. છતાં કૃતિકાનાં હૈયે કાયમ એક ફરિયાદ હોય છે, ‘મને ધાર્યું સુખ નથી મળ્યું.’



શું ખૂટે છે કૃતિકાના જીવનમાં? ખૂટે છે એના પતિનો સંગ. કૃતિકાના સસરાનું ઘર એના ઘરની નજીક છે. રજાનો દિવસ હોય, એણે હોંશથી બહાર જવાનો કાર્યક્રમ બનાવ્યો હોય અને એની સાસુનો ફોન આવે, ‘અભિનવ જરા આવી જજે ને...’ અને અભિનવ તરત દોડે. શું કામ છે? એવું કશું અભિનવ એની માને ન પૂછે.



કૃતિકા તૈયાર થઇને પતિની રાહ જોતી બેસી જ રહે. ટેલિફોન કરીને કૃતિકાને જાણ કરવાની દરકાર પણ ન રાખે. કૃતિકા કહે છે કે એની સાસુને ડર છે કે દીકરો વહુનો થઇ જશે તો? એટલે રજાના દિવસમાં કંઇ ને કંઇ બહાનું કાઢી દીકરાને પોતાની પાસે રોકી રાખે છે.



આવું દરેક રજામાં બને તેથી કૃતિકા દુ:ખી થયા કરે છે. મને કેમ આવી સંકુચિત મનની સાસુ મળી? હું વરની સાથે બહાર ફરવા ન જઇ શકું તેમાં એને મજા આવે છે. દીકરો-વહુ જિંદગી માણે એ એને મંજૂર નથી.



અભિનવની મમ્મી વર્ષોથી અમેરિકામાં વસી છે, પણ એને કેમ ખ્યાલ નથી આવતો કે દીકરા-વહુની સ્વતંત્ર જિંદગી હોય, એમાં દખલ ન કરાય. દીકરા-વહુને તાબે રાખવા એ જાતજાતની યુક્તિઓ અજમાવે અને દીકરો એવો કહ્યાગરો છે કે કંઇ બોલતો નથી.



કૃતિકાના બે દિયર છે, તે બંને અલગ ઘરમાં રહે છે. સાસુ તેમને પણ અભિનવની જેમ જ ટ્રીટ કરે છે. બેઉ દેરાણીઓ ભણેલી છે, કમાય છે, પણ સાસુનો વિરોધ કરવાની એમનામાંય હિંમત નથી. ‘સહન કરજે’ એવી શીખ મા-બાપે એમને સાસરે વળાવતી વખતે આપી હતી, તેનું ચુસ્તપણે પાલન કરે છે અને કડવા ઘૂંટડા ગળી જાય છે, પણ કૃતિકા અલગ માટીની બની છે.



સાસુની જોહુકમી એને કબૂલ નથી. એ અભિનવને કહે છે, ‘તું તારી માનો દીકરો છે, એમણે તને જન્મ આપ્યો, ઉછેર્યો એ ઋણભાર નીચે તું આટલો દબાયેલો છે, તો પરણ્યો શું કામ? પત્ની તરફ તારું કંઇ કર્તવ્ય નહીં?



તારી મમ્મીના મનમાં તરંગ ઊઠે અને તને જેમ નચાવે એમ નાચવું હતું, તો કોઇ કઠપૂતળી જેવી સ્ત્રી સાથે પરણવું હતું ને? જે તું રાખે એમ રહે અને તારી ઇરછા સંતોષે.’



અભિનવ એકવીસમી સદીનો શિક્ષિત યુવાન છે, સ્વતંત્રતાનો જે દેશમાં મહિમા છે, એ દેશમાં રહે છે, પણ વિચારમાં એ ચૌદમી સદીનો છે. વિજ્ઞાનની લેટેસ્ટ ટેક્નોલોજીનો એ ઉપયોગ કરે છે. એક મોટી કંપનીના ડીરેક્ટર પદેથી એ મોટા મોટા નિર્ણયો કરી શકે છે, પણ પોતાના અંગત જીવનમાં એ પોતાના હૃદય-મનથી કોઇ નિર્ણય નથી લઇ શકતો.



પત્ની તરફ પોતાની કંઇ ફરજ છે એવું એ નથી માનતો. માત્ર કૃતિકા નહીં, અસંખ્ય કોડભરી યુવતીનો આ પ્રશ્ન છે. તેઓ પૂછે છે, ‘લગ્ન કર્યા એ શું અમારી ભૂલ હતી?’ હૃદયવિદારક આ પ્રશ્નનો શો ઉત્તર હોઇ શકે? શું એમના પતિ પણ એમની વેદના સમજી નથી શકતા?

No comments:

Post a Comment