Tuesday, November 17, 2009

સુખને પોકારો સુખ દોડી આવશે

Prashasti Maheta

એ વિચારતી ક્યારેક તો મારો પ્રિન્સ ચાર્મિંગ આવશે અને મારા જીવનને સુખથી ભરી દેશે. ત્યાં એ મિકેનિક જ્હોનના પરિચયમાં આવી. જ્હોને લગ્ન કર્યા નહોતા, જ્યારે ઇઝાબેલાએ ત્રણ ત્રણ વાર છૂટાછેડા લીધા હતા. એક દીકરીની મા હતી. જહોને એનો ભૂતકાળ ન જોયો અને લગ્ન કર્યા.બેઉ ધર્મની ઝંઝટમાં ન પડ્યા અને કોર્ટમાં જઇને લગ્ન નોંધાવી આવ્યા. ભાવવિભોર ઇઝાબેલા બોલી, ‘જ્હોન, મને વાઇનો રોગ છે, ડાયાબિટીસ અને હાઇ બી.પી. છે. આ બધાની દવા તું છે, તું ધારીશ તો મને જીવાડીશ, મારું જીવન તારા હાથમાં છે.’ ઇઝાબેલા જેવા જ પ્રગાઢ પ્રેમથી જ્હોન બોલ્યો, ‘તને સુખી કરવા હું પરણ્યો છું. દુ:ખી કરવા નહીં. આપણી વચ્ચે મારુંતારું ન જોઇએ.’



woman bhaskarઇઝાબેલા અઢી વર્ષની હતી ત્યારે એને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. વીજળીના આંચકાથી એ મરી તો ન ગઇ, પણ એને વાઇનો રોગ લાગુ પડ્યો. ગમે ત્યાં, ગમે ત્યારે તે પછડાય અને મોંએ ફીણ આવે. આ રોગના લીધે લોકો એને ગાંડી કહેતા હતા. વળી, ગમે ત્યારે એની યાદશક્તિ જતી રહેતી, ઘરેથી ક્યાંક જવા નીકળે, થોડે દૂર જાય પછી એને યાદ ન આવે કે ક્યાં જવાનું છે.



આવી ઇઝાબેલાએ ઓગણીસ વર્ષની ઉમરે લગ્ન કર્યા. રોબર્ટ સાથે લગ્ન કરી એ એક દીકરીની મા બની, પણ રોબર્ટ એને છોડીને જતો રહ્યો. ઇઝાબેલા રોબર્ટ પાછળ દોડી નહીં. હવે એનું અને પુત્રીના ભરણપોષણનું શું?



એણે થોમસ સાથે બીજા લગ્ન કર્યા. થોમસની સારી નોકરી હતી, એની કમાણી એ જ પતિ થવાની એની સૌથી મોટી યોગ્યતા. ઇઝાબેલાને હતું હવે વાંધો નહીં આવે, પણ બેઉના સ્વભાવ ગુસ્સાવાળા. વારંવાર ઝઘડા થાય. એક દિવસ થોમસ ઘર છોડીને જતો રહ્યો પછી પાછો આવ્યો જ નહીં.



ઇઝાબેલા એની પાછળ પણ ગઇ નહીં. જે જાણીને છોડી જાય એની સાથે સંબંધ શું બાંધવાનો? બે-બે વાર નિષ્ફળતાથી ઇઝાબેલા બેચેન બની ગઇ, પણ એકલી રહી શકે એમ નહોતી. એણે ટ્રક ડ્રાઇવર વિલિયમ સાથે ત્રીજા લગ્ન કર્યા. વિલિયમ સારું કમાતો હોવાથી ઇઝાબેલાને નિરાંત લાગી.



વિલિયમ વહેમીલો હતો. એ લાંબી ટૂર પર જાય પણ અદ્ધર જીવે. આ જાણ્યું એટલે ઇઝાબેલા કહે, ‘તને મારા પર વિશ્વાસ નથી તો તારી સાથે રહેવાનો શું અર્થ?’ એ જ ક્ષણે એણે વિલિયમનું ઘર છોડી દીધું.



મતભેદ થાય એટલે એ તત્ક્ષણ છૂટી થઇ જતી. ઇઝાબેલાએ ત્રણ ત્રણ વાર લગ્ન કર્યા બાદ પણ એ નિષ્ફળ જ ગઇ. છતાં એ ખૂબ આશાવાદી હતી. કોઇ પ્રેમાળ જીવનસાથી પોતાને મળશે જ એવો એનો ભરોસો હતો.



વાઇના રોગના લીધે એને સ્થિર જોબ પણ મળતી નહોતી. ક્યારેક એને આપઘાતના વિચાર આવતા. એણે જાણ્યું કે ઊંચાઇ પરથી પડતું મૂકું તો ઓછી પીડા થાય. એણે બત્રીસ માળનું એક મકાન નજરમાં રાખ્યું પણ એ જીવવા માગતી હતી. એણે સુખનાં સ્વપ્નાં જોવા માંડ્યા.



એ વિચારતી ક્યારેક તો મારો પ્રિન્સ ચાર્મિંગ આવશે અને મારા જીવનને સુખથી ભરી દેશે. ત્યાં એ મિકેનિક જ્હોનના પરિચયમાં આવી. જ્હોને લગ્ન કર્યા નહોતા, જ્યારે ઇઝાબેલાએ ત્રણ ત્રણ વાર છૂટાછેડા લીધા હતા. એક દીકરીની મા હતી. જહોને એનો ભૂતકાળ ન જોયો અને લગ્ન કર્યા.



બેઉ ધર્મની ઝંઝટમાં ન પડ્યા અને કોર્ટમાં જઇને લગ્ન નોંધાવી આવ્યા. ભાવવિભોર ઇઝાબેલા બોલી, ‘જ્હોન, મને વાઇનો રોગ છે, ડાયાબિટીસ અને હાઇ બી.પી. છે. આ બધાની દવા તું છે, તું ધારીશ તો મને જીવાડીશ, મારું જીવન તારા હાથમાં છે.’ ઇઝાબેલા જેવા જ પ્રગાઢ પ્રેમથી જ્હોન બોલ્યો, ‘તને સુખી કરવા હું પરણ્યો છું. દુ:ખી કરવા નહીં. આપણી વચ્ચે મારુંતારું ન જોઇએ.’



‘જહોન, મારે ભણવું છે. કોલેજની ડીગ્રી મેળવવી છે.’ એણે કહ્યું.



‘તારી બધી ઇચ્છા-આકાંક્ષા પૂરા કર. હું તારી સાથે છું.’



ઇઝાબેલા કોલેજમાં દાખલ થઇ. જહોને એની દવા કરાવી, અત્યારે એના બધા રોગ કાબૂમાં છે. ઇઝાબેલા દુ:ખી સ્ત્રીઓને કહે છે, ‘દુનિયામાં શુભ અને મંગલ તત્વો છે જ. આપણે પ્રયત્ન કરવાનો છે, ધીરજ અને સંયમથી પુરુષાર્થ કરવાનો છે, સુખ દોડતું આવશે.

No comments:

Post a Comment