Tuesday, September 1, 2009

ભારતીય સંસ્કાર કદી મરે નહીં

Prashasti Mehta
Monday, August 31, 2009 21:37 [IST]
indian.jpgસુહાબહેન જાણતા હતાં કે એમના પતિ સતીશભાઇ નિર્દોષ છે, તદ્દન નિર્દોષ, પણ એમના પર ગંભીર પ્રકારનો આરોપ મૂકાયો છે- એ આરોપને સાચો ઠેરવતી જુબાની પણ સાક્ષીઓએ કોર્ટમાં આપી છે. જયુરીએ એમને દોષી ઠેરવ્યા છે અને જજસાહેબે સજા ફરમાવી કે અમેરિકા છોડીને તત્કાળ ચાલ્યા જાય.

કેટકેટલા આશા અને અરમાન સાથે સતીશભાઇ અને સુહાબહેન એમની ચાર દીકરીઓ સાથે અમેરિકા આવ્યા હતા. મનમાં આશા હતી કે દીકરીઓ સારું ભણશે અને એમને અમેરિકાની સિટિઝનશિપના હિસાબે સારા વર મળશે અને જિંદગી સુખી થઇ જશે. અમેરિકા આવ્યા પછી દીકરા શાનનો જન્મ થયો હતો. સુહાબહેન કહેતા, ‘અમેરિકા તો અમારા માટે તીર્થભૂમિ છે. અમારા બધા અરમાન પૂરા થયા.’ ખૂબ સુખમાં દિવસો, વર્ષોપસાર થતા હતા.

ત્યાં એમના હરીફે દુશ્મનાવટમાં એક કાવતરામાં સતીશભાઇને ફસાવી દીધા. તરત ધરપકડ થઇ, પેપરમાં અહેવાલ આવ્યો અને બદનામી થઇ, સજા થતાં દેશ છોડવાની વેળા આવી. ઇન્ડિયામાં પણ એમની બદનામીનો વાતો પહોંચી ગઇ હતી. હવે શું મોં લઇને ઇન્ડિયા જવાનું? પણ અમેરિકા તો છોડવું જ પડશે. દીકરીઓ બોલી, ‘તમે જાવ, અમે તો અહીં જ રહીશું અને અમારી જિંદગી બનાવીશું.’

સુહાબહેને પૂછ્યું, ‘તમે એકલી રહેશો?’ ‘અમે કયાં એકલી છીએ? ચાર બહેનો છીએ અને નાનો ભાઇલો શાન છે. અહીં અમે સુરક્ષિત અને સલામત છીએ. અમે જોબ કરીશું અને તમને ડોલર મોકલીશું.’ મોટી દીકરી વીસ વર્ષની હતી. પછી અઢાર, સોળ અને ચૌદ વર્ષની અને શાન દસ વર્ષનો હતો. સુહાબહેન મૂંઝાઇ ગયાં. સંતાનોને પારકા દેશમાં મૂકીને જતાં જીવ ચાલે નહીં અને સતીશભાઇને પણ આવી શરમજનક પરિસ્થિતિમાં ઇન્ડિયા એકલા મોકલાય નહીં. ત્યાંય એમનું ઘ્યાન કોણ રાખે? દુ:ખમાં સૌ સ્વજનો, સગાં દૂર ભાગે.

સુહાબહેને દીકરીઓને સમજાવી, પણ દીકરીઓ બોલી, ‘અમે અમારું હિત જોઇએ કે તમારું? અમારી જિંદગી અહીં બનશે.’ સુહાબહેનને થયું દીકરીઓ પાકી અમેરિકન થઇ ગઇ છે. સ્વાર્થી, સ્વકેન્દ્રી, તેમને માબાપની કંઇ ફિકર નથી. કુટુંબ પર કેવી મોટી આફત આવી છે, એનો વિચાર જ નથી કરતી. સતીશભાઇ બોલ્યા, ‘આપણા કમભાગ્યનો કોઇ અંત નથી.

મને થાય છે હું ના હોઉ તો તમે બધાં શાંતિથી જીવી શકો. હું તમારી જિંદગીમાં મોટો અંતરાય છું. હું આપઘાત કરું, પછી તમારે કોઇ દ્વિધા નહીં રહે. પતિના શબ્દો સાંભળીને સુહાબહેન બોલ્યા, ‘આજ સુધી સુખમાં આપણે સૌ સાથે હતા. તમારી મહેનતના ફળ અમે ભોગવીઓ છીએ અને તમારા પર વિપત્તિ આવી તો હું ખસી જાઉ? ના, એવું ના બને. દીકરીઓ ભલે અહીં રહે. દીકરો પણ ભલે રહેતો. આપણે બે ઇન્ડિયા જઇશું.’

‘ના, અહીંનો સમાજ તો આપણે જોઇ લીધો ને? સંતાનોને એકલાં ના મૂકાય. મા તરીકે તારી ફરજ છે, તું અહીં રહે અને મને સૂઝે એ માર્ગે મને જવા દે. એમાં જ આપણા બધાનું હિત છે.’ સૂઝતો માર્ગ એટલે આપઘાત એ સુહાબહેન સમજી ગયાં.

એ રડવા માંડયાં. મોટી દીકરીથી માનું કલ્પાંત ના જોવાતાં એ બોલી, ‘મમ્મી તું અહીં રહેજે હું પપ્પા સાથે ઇન્ડિયા જઇશ. તું અમારી જરાય ચિંતા ના કરતી.’ મોટી દીકરી એના પપ્પાને લઇને ઇન્ડિયા આવી. સુહાબહેન બાકીના સંતાનો સાથે અમેરિકામાં છે. મોટી દીકરી પર અનેક જવાબદારી છે, પણ એ બધાંને હિંમત આપે છે.

No comments:

Post a Comment