લગ્ન શું એક અખતરો છે?
Source: Prashanti Mehta, Womanbhaskar | Last Updated 0:33(21/05/10)
Comment| Share
કેતનભાઈ અને સુરેખાબહેન પચીસ વર્ષથી અમેરિકામાં વસ્યાં છે. તેમની રહેણીકરણીમાં પાશ્વાત્ય રંગ ભળી ગયો છે, પણ માનસ તો પચાસ વર્ષ પહેલાંનાં ભારતીય માબાપ જેવું છે. દીકરી મહાશ્વેતા કોલેજના છેલ્લાં વર્ષમાં હતી ત્યારથી મુરતિયાની શોધ આરંભી દીધી. કેટલાય યુવકોની વિગતો મેળવી. એમાંથી રજત પસંદ પડ્યો. રજતના માબાપ દેવીલાબહેન અને મયંકભાઈએ પણ મહાશ્વેતા ગમી ગઇ. તેમણે સુરેખાબહેનને કહ્યું કે અમારો દીકરો ભલે અહીં જન્મ્યો અને ઉછર્યો હોય, પણ એનામાં પૂરેપૂરા ભારતીય સંસ્કાર છે. અમે કહીશું એની સાથે જ એ પરણશે. આવો આજ્ઞાંકિત યુવક સુરેખાબહેનને ગમી ગયો. એમણે દીકરીને સમજાવી, ‘રજત તારા માટે યોગ્ય છે. એને તું પસંદ છે, તો એમની સમક્ષ પ્રસ્તાવ મૂકીએ?’
મહાશ્વેતા બોલી, ‘એ મને પસંદ કરે તેથી તમે માગું નાખશો? હું કોઈ ચીજ નથી કે જેને પસંદ પડું એની થઈ જાઉં. હું તમારી દીકરી છું, તમે મને કાળજીથી ઉછેરી, ભણાવી, પરંતુ મારે લગ્ન કોની જોડે કરવા એ નિર્ણય તમે ન લઈ શકો. તમે મારાં માવતર છો, માલિક નહીં.’ ‘અમે નિર્ણય તારા પર ઠોકી નથી બેસાડતાં. તેઓ આપણાથી વધુ પૈસાદાર છે. રજત એમનો એકમાત્ર વારસદાર છે.’
‘મમ્મી, બાપની મિલકત જોઈ છોકરાને વરમાળા પહેરાવી દેવાની?’ ‘રજત ડોક્ટર છે. એની પ્રેક્ટિસ ચાલે છે, પૈસો, માન-પ્રતિષ્ઠા છે.’ ‘પૈસાના કારણે મારે કોઇને પસંદ કરી લેવાનો?’ ‘તો તને કેવો છોકરો ગમે?’‘એ નક્કી નથી, પણ હમણાં મારે લગ્ન કરવા નથી. મારે દુનિયા જોવી છે, જીવનને સમજવું છે.
પતિ સાથે કેટલું તાદાત્મ્ય સાધવું, આપણું વ્યક્તિત્વ જાળવવું એનો હું વિચાર કરું છું.’ ‘તું વિચારતી રહીશ અને યોગ્ય છોકરા પરણી જશે, તરંગમાં રાચવાનું બંધ કર. લગ્નમાં વાસ્તવિકતા જોઈએ.’ ‘મમ્મી, કોઈ માણસને પરાણે ગમાડીને જિંદગીભર ગૂંગળાવાની તાકાત મારામાં નથી.’ ‘રજત સાથે તું પરણે પછી તને ખબર પડશે, એની સાથેનું જીવન કેવું છે.’
‘એટલે હું અખતરો કરું?’ ‘આવી વાત કેમ કરે છે? લગ્ન તો જન્મોજન્મનો સંબંધ છે. પૂરી ગંભીરતાથી પરણવાનું હોય.’ ‘તેથી તો ઉતાવળ કરતી નથી.’ મહાશ્વેતાએ કહ્યું અને એના લગ્નની વાત અટકી ગઈ.
No comments:
Post a Comment