Saturday, July 17, 2010

ભૌતિક સુખથી જીવન સુખમય નથી બનતું
Source: Prashasti Mehta | Last Updated 12:08(03/04/10)
Comment| Share



જે પ્રેમનું રટણ કરીએ છીએ તેને સાચવતાં અમને આવડતું નથી. મતભેદ સર્જાય તો અમે છૂટાં પડી જઈએ છીએ. મતભેદ દૂર કરવાના બદલે અમે જ દૂર થઈ જઈએ છીએ. અમારા દેશમાં વિજ્ઞાનની શોધે માણસનું જીવન સુખસગવડભર્યું બનાવ્યું છે, પણ તેને પ્રેમભર્યું કેવી રીતે બનાવવું એની શોધ હજી નથી થઈ.

જેઇન મારી સાથે જોબ કરે છે. સાવ મૂંગા મોંએ કામ કર્યા કરે, ના હસે ના બોલે. એક દિવસ એ મને પૂછે, ‘તમે ભારતીયો જે કૌટુંબિક સુખ ભોગવો છો, એવું અમને કેમ નહીં મળતું હોય?’

જેઇનનાં માબાપ પચીસ વર્ષનાં લગ્નજીવન પછી છૂટાં પડ્યાં છે. જેઇન માનવીય સંબંધો વિશે બધું સમજે છે. એણે મને જે પ્રશ્ન પૂછ્યો એ કેટલાય દિવસોના વલોપાત પછી પૂછ્યો છે.

એ આશ્ચર્ય વ્યક્ત કરે છે, ‘તમારામાં સ્નેહ શી રીતે પાંગરે છે અને જળવાય છે? કુટુંબમાં એકને કંઈ મુશ્કેલી આવે, ત્યારે બધાં સાથે મળી તે દૂર કરવા મથો છો. અમે પણ કુટુંબ રચીએ છીએ, દિવસમાં કેટલીય વાર આઈ લવ યુ કહીએ છીએ, પણ કુટુંબમાં તિરાડ પડે ત્યારે શાંત ચિત્તે વિચારવાના બદલે એવું જોર કરીએ છીએ કે કુટુંબ તૂટી જાય, બધું વેરવિખેર થઈ જાય. મારાં મોમ અને ડેડે અમારો વિચાર જ ન કર્યો. ’

જેઇન જરા અટકીને બોલી, ‘અમારે ત્યાં વ્યક્તિ સ્વાતંત્ર્યનો એટલો અતિરેક છે કે સહનશીલતા, ધૈર્ય, સંયમ વિસરાઈ ગયાં છે, સંતાનોનોય માબાપ વિચાર નથી કરતાં. સ્વાર્થ અને અહ્મમાં રાચીએ છીએ. પરિણામે કેટલું નષ્ટ થઈ જાય છે.

જે પ્રેમનું રટણ કરીએ છીએ તેને સાચવતાં અમને આવડતું નથી. મતભેદ સર્જાય તો અમે છૂટાં પડી જઈએ છીએ. મતભેદ દૂર કરવાના બદલે અમે જ દૂર થઈ જઈએ છીએ. અમારા દેશમાં વિજ્ઞાનની શોધે માણસનું જીવન સુખસગવડભર્યું બનાવ્યું છે, પણ તેને પ્રેમભર્યું કેવી રીતે બનાવવું એની શોધ હજી નથી થઈ.

પ્રકૃતિનાં રહસ્યો જાણવા પુરુષાર્થ કરીએ છીએ પણ માણસના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની કોશિશ નથી કરતાં. તમારે ત્યાં પ્રેમના નામે કુરબાની આપવી સહજ છે, જ્યારે અહીં ત્યાગ અને કુરબાની માત્ર શબ્દો છે, ભાવહીન શબ્દો.’

હું ઘ્યાનથી સાંભળતી હતી. એ બોલી, ‘મારી મોમ પ્રેમાળ અને ઘરરખ્ખુ હતી, હર ક્ષણ એ કુટુંબ માટે જ જીવતી હતી. પચીસ વર્ષ બધું બરાબર ચાલ્યું, પછી મારા ફાધર બહાર સંબંધ રાખતા થયા, મોમ-ડેડ વચ્ચે ઝઘડા થવા માંડ્યા અને એક દિવસ બધું છોડીને જતા રહ્યા.

એમની લવર સાથે એ સુખેથી રહે છે. અમે એમને કદી યાદ નહીં આવતાં હોઈએ? એમને એવું તે શું મળી ગયું કે ઘર, નિષ્ઠાવાન પત્ની અને અમને ભૂલી ગયા? એ કોઈ ભારતીય કુટુંબના સંપર્કમાં હોત તો અમારું કુટુંબ તૂટ્યું ન હોત.’

જેઇનના મોંએ આ સાંભળીને મને ભારતીય સંસ્કૃતિ માટેનું ગૌરવ વધી ગયું. આપણે કુટુંબને સાચવી લઈએ છીએ. પશ્વિમના લોકો પ્રેમ છોડીને જડ વસ્તુમાં સુખ શોધે છે અને દુ:ખી થાય છે.

No comments:

Post a Comment