સ્ત્રીની અંગત જિંદગી ન હોય?
Source: Prashasti Mehta | Last Updated 13:50(28/02/10)
Comment| Share
તમારા દેશમાં બાળકને ગળે વળગાડીને ચોવીસે કલાક તમે ફરો છો, પણ શું કામ ? બાળકને એકાંત આપો, એના રૂમમાં એને એકલું રહેવા દો.
સિંધિયા મને કહે, ‘ ચાલ, આપણે બેં લોંગ ડ્રાઇવ પર જઇએ. તારા વર કે દીકરાને નહીં લેવાના !
નવાઇ પામતાં મેં કહ્યું, ‘એમ એકલા જવાની શું મજા આવે !’
સિંધિયા ચિડાઇને બોલી, ‘તમે ઇન્ડિયન લોકો સ્વતંત્રતા ભોગવવાનું શીખ્યા જ નથી. વર અને છોકરાને ગળે વળગાડીને ફરો એમાં શું મજા આવે ?’
હું ભોળી ‘વર અને સંતાન મારા અસ્તિત્વનો એક ભાગ જ છે. તેમને મારાથી હું જુદા ન ગણી શકું. ’
‘તને તારી પોતાની જિંદગી જ નથી ? તું શું માત્ર કોઇની મા, અને કોઇની પત્ની જ છે ?
ભલેને તું સ્નેહવશ એમને તારી જોડેને જોડે રાખે પણ તારા આ વર્તનથી તેઓ પણ તારા પર આધાર રાખતા થઇ જાય, અને તારા દીકરાનું વ્યક્તિત્વ સ્વતંત્રપણે ખીલે નહીં.’
આમ કહીને થોડીવાર અટકીને એ બોલી, ‘હું તારા પ્રેમનું મૂલ્ય ઓછું નથી આંકતી કે તારા કાળજીભર્યા પ્રેમની એમને જરૂર ઓછી છે એવું નથી કહેતી પણ દરેક વાતની એક સીમા હોય છે, એ સીમા બેઉ પક્ષ માટે હિતકારી છે.
તમારા દેશમાં બાળકને ગળે વળગાડીને ચોવીસે કલાક તમે ફરો છો, પણ શું કામ ? બાળકને એકાંત આપો એના રૂમમાં એને એકલું રહેવા દો, તું આમ કર ને આમ ન કર અથવા તો ચાલ આપણે આમ કરીએ કહી તમે એને ગાઇડ ન કરો. એની સ્વતંત્ર સમજ, બુદ્ધિ અને નિર્ણયશક્તિને ખીલવા દો. વળી કોઇ વાર એવું ય બનતું હશે કે એને તારી હાજરી નહીં ગમતી હોય. તેં કદી એવું નોંઘ્યુ નથી ?’
હું બોલી, હા, ક્યારેક મને એવુ લાગ્યુ છે, એકવાર દીકરો એની રૂમમાં બેસીને લખતો હતો. તેને જોઇને હું પાછી વળી ગઇ. એણે મને જોઇ હતી પણ એણે મને બોલાવી નહીં, એ લખતો જ રહ્યો. એનું લખવાનું પૂરું થયુ પછી બહાર આવીને મને કહે, થેંક્યુ મમ્મી.’ હું સમજી ગઇ દીકરાને પોતાના વિચાર છે, પોતાની રીત છે. પોતાનું એકાંત એને
ગમે છે.
સિંધિયા બોલી ‘બસ તો હું તને એ જ કહેવા માગું છું કે દરેક વ્યક્તિને એકાંત ગમે પોતાનું એકાંત સચવાય એ ગમે. તું દીકરાને સમજ અને એની રીતે એને વિકસવા દે.’
સિંધિયા નિખાલસ અને સ્પષ્ટવક્તા છે. એ બોલી ‘મને તમારી અમુક પ્રથા જરાય નથી ગમતી. ધારો કે હું ભારતીય છોકરાને પરણું અને એ બેવકૂફ મને સમજી ન શકે અને મારો એ વર મારી સાથે ને સાથે રહે તો હું તો ગૂંગળાઇ જાઉ. એની પસંદ નાપસંદનો આપણે ખ્યાલ રાખવાનો. મને તો એમાં ગુલામી લાગે.’
હું હસી પડી, બોલી ‘અમને ભારતીય સ્ત્રીઓને તો પતિ સાથે હોય એ ગમે. એ સાથે હોય એટલે કોઇ ચિંતા જ નહીં પણ તેં કહ્યા એ ગેરફાયદા તો ખરા જ પણ એની પસંદ ના પસંદનો ખ્યાલ રાખવામાં મને તો કોઇ ભાર નથી લાગતો બલકે ગમે છે એ બધું... ’
મારું બોલવાનું પૂરું થાય એ પહેલા એ બોલી, ‘માત્ર વર જ નહીં, આપણા મા બાપ કે કોઇ વડીલ આપણી સાથે હોય એટલે એ સલાહ સૂચન તો આપે જ. ભલેને આપણે એમની સલાહ પર ઘ્યાન ન આપીએ પણ એની સલાહની આપણા પર અસર તો થાય જ છે. અને મને એ મંજૂર નથી મારું મન બગડી જાય.’
મેં નવાઇ વ્યક્ત કરતાં પૂછયું, ‘તું તારા વિચારની કેમ આટલી આગ્રહી છે? તારા પર કોઇએ કડકાઇથી શિસ્ત લાદી નહીં હોય એવું હું માનું છું.’
‘એ હું શું વાત કરું મારા જીવનની મારા ડેડી મને અને મોમને છોડીને જતાં રહ્યા પછી હું મારાં નાનીમા પાસે ઉછરી. નાનીમા આઇરીશ કેથલિક સ્વભાવે કડક અને અતડાં. આપણે ગાઇએ, હસીએ કે બહાર જવાની વાત કરીએ તો આપણને વઢી નાંખે, સારા કપડાં ય પહેરવા ન દે.
હેરસ્ટાઇલ નહીં કરવાની એ માને કે આજ શૃંગાર આપણને પતનના માર્ગે લઇ જાય છે. હું સાઘ્વી બનું એ માટે મને પ્રોત્સાહન આપે. મારો સ્વાભાવિક વિકાસ જ ન હતો થયો. પણ હું કોલેજમાં ગઇ અને હોસ્ટેલમાં રહી અને જાણે નવી જ દુનિયામાં હું આવી ચડી ત્યાંના મુક્ત વાતાવરણે મારું મન બદલાઇ ગયું. મારો સંતુલિત વિકાસ થયો. એટલે હું તને કહું છું કે તું મુક્ત રીતે જીવે ત્યાં મેં ઘર છોડ્યું પછી ઘર અને સગાં મારાથી દૂર થઇ ગયા છે.
No comments:
Post a Comment